Bhagwati Caterers

In the meantime, try this:

વઢવાણી મરચાં અને શીંગોડા અથાણું:
(10 વ્યક્તિ માટે)

સામગ્રી:
  • વઢવાણી મરચાં - 500 ગ્રામ
  • શીંગોડા (છાલ કાઢેલા) - 500 ગ્રામ
  • રાઈની દાળ - 150 ગ્રામ
  • સરસીયું / સીંગતેલ - 500 ગ્રામ
  • લીંબુ - 200 ગ્રામ
  • મીઠું - સ્વાદ પ્રમાણે
  • હળદર - 50 ગ્રામ
રીત:
  1. વઢવાણી મરચાં નાં 1 સે.મી. લાંબા કટકા કરો તેમાં તેજ સાઈઝમાં કાપેલા શીંગોડા નાં કટકા મીક્ષ કરો.
  2. આ મિશ્રણ ને એક બાઉલ માં લઈને તેમાં 200 ગ્રામ લીંબુને કટકા કરીને નાંખો તથા હળદર અને મીઠું નાંખો.
  3. રાત્રે ઢાંકીને રહેવા દો. સવારે રાઈની દાળને તેલમાં ખૂબ ફીણીને ઉભરો આવે તેમ તેલ તથા મરચાં શીંગોડા નાં બાઉલમાં એકઠું થયેલ પાણી ઉમેરી ફીણતા રહો.
  4. ફીણેલી રાઈની દાળને મરચાં શીંગોડામાં ઉમેરી મીક્ષ કરો.
  5. સર્વ કરો.
નોંધ: ફ્રીજ વગર આ અથાણું 4-5 દિવસ  સારું રહેશે.
bhavi.IN